ન જાયતે મ્રિયતે વા કદાચિન્
નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ ।
અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો
ન હન્યતે હન્યમાને શરીરે ॥ ૨૦॥
ન જાયતે—જન્મ લેતો નથી, મ્રિયતે—મરે છે; વા—અથવા; કદાચિત્—ક્યારેય; ન—નહીં; અયમ્—આ; ભૂત્વા—થઈને; ભવિતા—થશે; વા—અથવા; ન—નહીં; ભૂય:—આગળ થનારો; અજ:—અજન્મ; નિત્ય:—સનાતન; શાશ્વત:—અવિનાશી; અયમ્—આ; પુરાણ:—સૌથી પુરાતન; ન હન્યતે—હણાતો નથી; હન્યમાને—જયારે હણાય છે ત્યારે; શરીરે—શરીર.
BG 2.20: આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી; ન તો એ ક્યારેક અસ્તિત્વમાન હતો કે ન તો કદાપિ વિનાશ પામ્યો હતો. આત્મા અજન્મા, શાશ્વત, અવિનાશી, અજર છે. જયારે શરીર નષ્ટ થઈ જાય છે, ત્યારે તેનો નાશ થતો નથી.
ન જાયતે મ્રિયતે વા કદાચિન્
નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ ।
અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો
ન હન્યતે હન્યમાને શરીરે ॥ ૨૦॥
આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી; ન તો એ ક્યારેક અસ્તિત્વમાન હતો કે ન તો કદાપિ વિનાશ …
Sign in to save your favorite verses.
Sign In
Navigate directly to the wisdom you seek
Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
આ શ્લોકમાં આત્માની શાશ્વત પ્રકૃતિને સિદ્ધ કરવામાં આવી છે, જે સનાતન છે તેમજ જન્મ અને મૃત્યુથી પરે છે. તદ્દનુસાર, તે છ પ્રકારના પરિવર્તનો: અસ્તિ, જયતે, વર્ધતે, વિપરીનમતે, અપેક્ષીયતે, અને વિનશ્યતિથી રહિત છે. “ગર્ભમાં અસ્તિત્વમાન થવું, જન્મ, વિકાસ, પ્રજોત્પાદન, હ્રાસ અને મૃત્યુ.” આ બધા શરીરના પરિવર્તનો છે, આત્માના નહીં. આપણે જેને મૃત્યુ કહીએ છીએ, તે કેવળ શરીરનો નાશ છે, પરંતુ અવિનાશી આત્મા શરીરના આ બધાં પરિવર્તનોથી બિનપ્રભાવી રહે છે. વેદોમાં આ વિષય પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે. કઠોપનિષદ્દનો આ મંત્ર, ભગવદ્ ગીતાના ઉપર્યુક્ત મંત્રને લગભગ સમાન છે.
ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિ-
ન્નાયં કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત્
અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો
ન હન્યતે હન્યમાને શરીરે (૧.૨.૧૮)
“ આત્માનો ન તો જન્મ થાય છે, કે ન તો મૃત્યુ થાય છે; ન તો એ કોઈનામાંથી પ્રગટ થાય છે કે ન તો એમાંથી કંઈ પ્રગટ થાય છે. તે અજન્મા, શાશ્વત, અવિનાશી તથા અજર છે. જયારે શરીરનો નાશ થાય છે, ત્યારે તેનો નાશ થતો નથી.” બૃહદારણ્યક ઉપનિષદ્દ જણાવે છે:
સ વા એષ મહાન્ અજ આત્માજરોઽમરોઽમૃતોઽભયઃ (૪.૪.૨૫)
“આત્મા તેજસ્વી, અજન્મા, મૃત્યુરહિત, વૃદ્ધાવસ્થાથી મુક્ત, અવિનાશી તથા અભય છે.”